મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધો
મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનીત કરાશે
SHARE
મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનીત કરાશે
મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા નવગામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા સતવારા જ્ઞાતિના તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે જેના માટે ૧૩ ઓગસ્ટ સુધીમાં ફોર્મ મેળવીને જમા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે.
મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા ધો.૯ થી કોલેજ તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં હોય અને વર્ષ ૨૦૨૩ માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી વિસ્તારના સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપવા જણાવાયું છે. આ ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે માધાપરમાં વિજયભાઈ ડાભી- ૯૯૨૫૬૪૨૧૬૪, જયેન્દ્રભાઈ કંઝારિયા- ૯૦૩૩૮૯૭૦૦૦, વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ- ૯૯૯૮૦૪૯૬૯૫, તરુણભાઈ પરમાર- ૯૦૩૩૪૨૪૯૦૬, વાઘપરા વિસ્તારમાં પ્રકાશભાઈ સોનગરા- ૯૪૨૭૨૩૬૨૦૦, કેતનભાઈ પરમાર- ૯૪૨૬૬૨૩૦૦૪, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કંઝારીયા (ભુંભરની વાડી- પંચાસર રોડ), યોગેશભાઈ ડાભી (રોલા રાતડીયાની વાડી), વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા (જોધાણીની વાડી- બોરીયા પાર્ટી), ધીરુભાઈ પરમાર (ભેખડની વાડી- રવાપર રોડ), પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી (ધર્મસૃષ્ટિ સોસાયટી- શનાળા રોડ), તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારીયા (ગોકુળનગર-બાદલપર)નો સંપર્ક કરવા જણાવ્યૂ છે સાથોસાથ આઈટીઆઈમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની હોય તેવા વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરીને જમા કરાવવા સંસ્થાના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારીયાએ જણાવ્યું છે.