મોરબીના ચાંચાપર ગામે ઘર પાસે ટેમ્પો પલટી મારતા ઓટલે બેઠલા વૃદ્ધને ઇજા થતાં સારવારમાં
મોરબીના લીલાપર રોડે ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણ ગાયના મોત, બેને ગંભીર ઇજા
SHARE
મોરબીના લીલાપર રોડે ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણ ગાયના મોત, બેને ગંભીર ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર બોરીયા પાટીના નાલા પાસે ટ્રક ચાલકે પાંચ ગાયને હડફેટ લીધી હતી જે પૈકીની ત્રણ ગાયના મોત નિપજ્યાં છે તેમજ બે ગાયને શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી જેથી કરીને હાલમાં 30 હજારનું નુકસાન થયું છે તેવી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી મહિત્યિ મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રુંજા જાતે બોરીચા આહીર (૩૨) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૫ બીવી ૧૧૫૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના લીલાપર રોડ ઉપર બોરીયા પાટી નાલા પાસેથી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે બેફિકરાઈથી ટ્રક ચલાવીને રોડ ઉપર રહેલ પાંચ ગાઈને હડફેએ લીધી હતી તે પૈકીની ત્રણ ગાયોના ગંભીર ઇજાના લીધે મોત નિપજ્યાં હતા જ્યારે બે ગાયને ગંભીર ઇજા કરેલ છે જેથી કરીને ૩૦,૦૦૦ રૂપિયાની નુકસાની કરી હોવા અંગેની હાલમાં કમલેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯, ૪૨૮, ૪૨૯ અને એમવી એક્ટની કલમ ૧૬૭૩ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









