આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણ ગાયના મોત, બેને ગંભીર ઇજા


SHARE













મોરબીના લીલાપર રોડે ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણ ગાયના મોતબેને ગંભીર ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર બોરીયા પાટીના નાલા પાસે ટ્રક ચાલકે પાંચ ગાયને હડફેટ લીધી હતી જે પૈકીની ત્રણ ગાયના મોત નિપજ્યાં છે તેમજ બે ગાયને શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી જેથી કરીને હાલમાં 30 હજારનું નુકસાન થયું છે તેવી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી મહિત્યિ મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રુંજા જાતે બોરીચા આહીર (૩૨) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૫ બીવી ૧૧૫૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના લીલાપર રોડ ઉપર બોરીયા પાટી નાલા પાસેથી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે બેફિકરાઈથી ટ્રક ચલાવીને રોડ ઉપર રહેલ પાંચ ગાઈને હડફેએ લીધી હતી તે પૈકીની ત્રણ ગાયોના ગંભીર ઇજાના લીધે મોત નિપજ્યાં હતા જ્યારે બે ગાયને ગંભીર ઇજા કરેલ છે જેથી કરીને ૩૦,૦૦૦ રૂપિયાની નુકસાની કરી હોવા અંગેની હાલમાં કમલેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯, ૪૨૮, ૪૨૯ અને એમવી એક્ટની કલમ ૧૬૭૩ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News