આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૧૦ પશુઓને બચાવી લેવાયા


SHARE













વાંકાનેરથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૧૦ પશુઓને બચાવી લેવાયા

ચોટીલા ગૌરક્ષક ટીમને અને હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે ૧૦ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર જીજે ૮ ડબલ્યુ ૨૮૯  ને ગત તા.૪ ના વહેલી સવારે ચોટીલા પાસે પસાર થતા તેનો પીછો કરીને  રોકવામાં આવી હતી અને તપાસ કરતાં આઈસરમાં ભેસો અને પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી ચોટીલા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશ બોરીચા દ્વારા વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અને ચોટીલાના પાંજરાપોળમા ૧૦ જીવોને મુકવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ચોટીલા પોલીસ અધિકારી તેમજ પોલીસ સ્ટાફનો ગૌરક્ષકોને સારો સહયોગ  મળ્યો હતો.

આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક  દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવદયા ગૌરક્ષક જયનભાઈ અજયભાઈ પરમાર, પાર્થભાઈ (ગૌરક્ષક મોરબી), દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), મોરબી હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ (બાબરા), દીપુભાઈ વાઘેલા (જસદણ), મોરબી ભરતભાઈ સોનગ્રા, જેકીભાઈ આહીર, હિતરાજસિંહ પરમાર, હર્ષભાઈ મુકેશભાઈ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા






Latest News