મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૧૦ પશુઓને બચાવી લેવાયા


SHARE







વાંકાનેરથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૧૦ પશુઓને બચાવી લેવાયા

ચોટીલા ગૌરક્ષક ટીમને અને હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે ૧૦ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર જીજે ૮ ડબલ્યુ ૨૮૯  ને ગત તા.૪ ના વહેલી સવારે ચોટીલા પાસે પસાર થતા તેનો પીછો કરીને  રોકવામાં આવી હતી અને તપાસ કરતાં આઈસરમાં ભેસો અને પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી ચોટીલા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશ બોરીચા દ્વારા વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અને ચોટીલાના પાંજરાપોળમા ૧૦ જીવોને મુકવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ચોટીલા પોલીસ અધિકારી તેમજ પોલીસ સ્ટાફનો ગૌરક્ષકોને સારો સહયોગ  મળ્યો હતો.

આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક  દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવદયા ગૌરક્ષક જયનભાઈ અજયભાઈ પરમાર, પાર્થભાઈ (ગૌરક્ષક મોરબી), દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), મોરબી હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ (બાબરા), દીપુભાઈ વાઘેલા (જસદણ), મોરબી ભરતભાઈ સોનગ્રા, જેકીભાઈ આહીર, હિતરાજસિંહ પરમાર, હર્ષભાઈ મુકેશભાઈ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા






Latest News