મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ


SHARE







મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ

ટંકારમાં પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પડી હતી જેથી કરીને બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી પાંચ શખ્સોની એસએમે ટંકારમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ કરેલ છે

થોડા સમય પહેલા ટંકારા મુકામે આરોપી પ્રિન્સ અધારાએ મરણ જનાર સવજીભાઇ કકાસણીયા પાસે પૈસાની માંગણી કરતા મરણ જનારે પૈસા આપવાની આનાકાની કરતા આરોપી પ્રિન્સ અધારાએ માથાના ભાગે બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી મરણ જનાર સવજીભાઈના દીકરા અરવીંદ કકાસણીયાએ ટંકાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી પ્રિન્સ અધારા, હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દ્ર પાવરા, મનીષ સોનાસીંગ યાદવની ધરપકડ કરી હતી અને તેની મોરબી ડીસ્ટ્રીક કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી હતી આ કામે આરોપી પ્રિન્સ અધારા અને સહ આરોપી મનીષ યાદવ વતી વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી. અંબાણી રોકાયેલ હતા અને આ કામના અન્ય સહ આરોપી હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દે પાવરા વતી વકીલ જે.એ. ઓઝા, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા. આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલો દ્વારા કરવામાં આવેલ ધારદાર અને કાયદાકીય રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ આરોપીને તા.૯-૮-૨૦૨૩ ના રોજ તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે આદેશ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જે.બી. પાંચોટીયા, જે.એ. ઓઝા, ગીરીશ બી. અંબાણી, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા






Latest News