મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ


SHARE













મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ

ટંકારમાં પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પડી હતી જેથી કરીને બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી પાંચ શખ્સોની એસએમે ટંકારમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ કરેલ છે

થોડા સમય પહેલા ટંકારા મુકામે આરોપી પ્રિન્સ અધારાએ મરણ જનાર સવજીભાઇ કકાસણીયા પાસે પૈસાની માંગણી કરતા મરણ જનારે પૈસા આપવાની આનાકાની કરતા આરોપી પ્રિન્સ અધારાએ માથાના ભાગે બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી મરણ જનાર સવજીભાઈના દીકરા અરવીંદ કકાસણીયાએ ટંકાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી પ્રિન્સ અધારા, હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દ્ર પાવરા, મનીષ સોનાસીંગ યાદવની ધરપકડ કરી હતી અને તેની મોરબી ડીસ્ટ્રીક કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી હતી આ કામે આરોપી પ્રિન્સ અધારા અને સહ આરોપી મનીષ યાદવ વતી વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી. અંબાણી રોકાયેલ હતા અને આ કામના અન્ય સહ આરોપી હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દે પાવરા વતી વકીલ જે.એ. ઓઝા, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા. આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલો દ્વારા કરવામાં આવેલ ધારદાર અને કાયદાકીય રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ આરોપીને તા.૯-૮-૨૦૨૩ ના રોજ તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે આદેશ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જે.બી. પાંચોટીયા, જે.એ. ઓઝા, ગીરીશ બી. અંબાણી, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા








Latest News