મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનનો સોદો રદ્દ થતાં ગુમ થયેલ જમીન મકાનના ધંધાર્થી હેમખેમ મળ્યા


SHARE







મોરબીમાં જમીનનો સોદો રદ્દ થતાં ગુમ થયેલ જમીન મકાનના ધંધાર્થી હેમખેમ મળ્યા

મોરબીના બાયપાસ રોડે આવેલ આંનદનગરમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી આધેડે જમીન માટે સગા વ્હાલા પાસેથી રૂપિયા લીધા હતા જો કે, જમીનનો સોદો રદ્દ થતાં તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને તે ગુમ થઈ ગયા હતા જે વડોદરા ખાતેથી હેમખેમ મળી આવેલ છે

મોરબીમાં બાયપાસ રોડે આવેલ આંનદનગરમાં રહેતા અને જમીન મકાનની લેવેચનું કામ કરતાં અશોકભાઈ કરશનભાઇ ભટ્ટી ગત તા. ૨૩ થી ગુમ થયા હતા જેથી પરિવારજનો તેને શોધી રહયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેની ગુમસુદા નોંધ કરીને તેને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી. તે આધેડ હેમખેમ મળી આવ્યા હોવાથી પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વધુમાં મળતી માહિતી મુજબ અશોકભાઈ જમીન મકાન લેવેચનું કામ કરતાં હતા અને તેને જમીન લેવા માટે ૩૨ લાખ લીધા હતા અને ત્યાર બાદ તે જમીનનો સોદો રદ્દ થયેલ હતો અને સગા સંબંધીએ રૂપિયાની માંગણી કરતાં તે રૂપિયા આપી શકે તેમ ન હતા જેથી કરીને તે ચાલ્યા હતા અને તે અહીથી વડોદરા તેના મિત્ર પાસે જતાં રહ્યા હતા






Latest News