મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

હરરાજીમાં ધનનો ઢગલો: વાંકાનેર પાલિકામાં મેળાના મેદાની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક


SHARE













હરરાજીમાં ધનનો ઢગલો: વાંકાનેર પાલિકામાં મેળાના મેદાની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક

મોરબી જિલ્લાના વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી જેમાં કુલ મળીને ૯\ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી ત્યારે સૌથી ઊંચી બોલી ૧૯.૫૧ લાખની બોલી લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા આ વર્ષે ૧૯.૫૧ લાખમાં આપવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકા દ્વારા મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવતું હતું પરંતુ ગત વર્ષે રાજકીય સમરાંગણ હતું જેથી કરીને હરરાજી કરીને મેદાન આપવામાં આવ્યું હતું ત્યારે મેળાનું મેદાન ૧૧.૫૧ લાખમાં આપવામાં આવ્યું હતું જો કે, આ વર્ષે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ ત્યાં હજાર રહ્યા હતા ત્યારે પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા હરરજીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં જુદીજુદી લોકો દ્વારા મેળાના મેદના માટે ૨.૮૦ લાખથી બોલી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સૌથી ઊંચી ૧૯.૫૧ લાખની બોલી ફિરોજભાઈ ઠાસરિયા દ્વારા લગાવવામાં આવી હતી જેથી મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા તેને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી મેળાના મેદાન માટે હરરજી કરવામાં આવે છે જેથી કરીને પાલિકાને લખો રૂપિયાની આવક થાય છે 






Latest News