મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ
Breaking news
Morbi Today

હરરાજીમાં ધનનો ઢગલો: વાંકાનેર પાલિકામાં મેળાના મેદાની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક


SHARE







હરરાજીમાં ધનનો ઢગલો: વાંકાનેર પાલિકામાં મેળાના મેદાની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક

મોરબી જિલ્લાના વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી જેમાં કુલ મળીને ૯\ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી ત્યારે સૌથી ઊંચી બોલી ૧૯.૫૧ લાખની બોલી લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા આ વર્ષે ૧૯.૫૧ લાખમાં આપવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકા દ્વારા મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવતું હતું પરંતુ ગત વર્ષે રાજકીય સમરાંગણ હતું જેથી કરીને હરરાજી કરીને મેદાન આપવામાં આવ્યું હતું ત્યારે મેળાનું મેદાન ૧૧.૫૧ લાખમાં આપવામાં આવ્યું હતું જો કે, આ વર્ષે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ ત્યાં હજાર રહ્યા હતા ત્યારે પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા હરરજીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં જુદીજુદી લોકો દ્વારા મેળાના મેદના માટે ૨.૮૦ લાખથી બોલી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સૌથી ઊંચી ૧૯.૫૧ લાખની બોલી ફિરોજભાઈ ઠાસરિયા દ્વારા લગાવવામાં આવી હતી જેથી મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા તેને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી મેળાના મેદાન માટે હરરજી કરવામાં આવે છે જેથી કરીને પાલિકાને લખો રૂપિયાની આવક થાય છે 






Latest News