મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનનો સોદો રદ્દ થતાં ગુમ થયેલ જમીન મકાનના ધંધાર્થી હેમખેમ મળ્યા


SHARE













મોરબીમાં જમીનનો સોદો રદ્દ થતાં ગુમ થયેલ જમીન મકાનના ધંધાર્થી હેમખેમ મળ્યા

મોરબીના બાયપાસ રોડે આવેલ આંનદનગરમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી આધેડે જમીન માટે સગા વ્હાલા પાસેથી રૂપિયા લીધા હતા જો કે, જમીનનો સોદો રદ્દ થતાં તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને તે ગુમ થઈ ગયા હતા જે વડોદરા ખાતેથી હેમખેમ મળી આવેલ છે

મોરબીમાં બાયપાસ રોડે આવેલ આંનદનગરમાં રહેતા અને જમીન મકાનની લેવેચનું કામ કરતાં અશોકભાઈ કરશનભાઇ ભટ્ટી ગત તા. ૨૩ થી ગુમ થયા હતા જેથી પરિવારજનો તેને શોધી રહયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેની ગુમસુદા નોંધ કરીને તેને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી. તે આધેડ હેમખેમ મળી આવ્યા હોવાથી પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વધુમાં મળતી માહિતી મુજબ અશોકભાઈ જમીન મકાન લેવેચનું કામ કરતાં હતા અને તેને જમીન લેવા માટે ૩૨ લાખ લીધા હતા અને ત્યાર બાદ તે જમીનનો સોદો રદ્દ થયેલ હતો અને સગા સંબંધીએ રૂપિયાની માંગણી કરતાં તે રૂપિયા આપી શકે તેમ ન હતા જેથી કરીને તે ચાલ્યા હતા અને તે અહીથી વડોદરા તેના મિત્ર પાસે જતાં રહ્યા હતા






Latest News