મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ


SHARE













ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ

અખંડ સનાતન રક્ષાદલના રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજી મહારાજ ગઇકાલે મોરબીમાં આવ્યા હતા ત્યારે તેઓની અધ્યક્ષતામાં મોરબીના રામચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરમાંથી આવેલા સંતો અને મહંતો હાજર રહ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ મોરબીના વિવિધ સંસ્થાઓના પ્રમુખ, ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સંતોનું સન્માન કરીને આશીર્વાદ લીધા હતા આ મિટિંગમાં ખાસ કરીને આગામી દિવસોમાં દ્વારકાથી ભારત યાત્રા નીકળવાની છે તેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા દ્વારા મોરબી જીલ્લામાં આ યાત્રા આવે ત્યારથી લઈને બીજા જીલ્લામાં આગળ વધે ત્યાં સુધીની તમામ સેવા કરવાની જવાબદારી સ્વીકારી છે તેમજ ગુજરાતનાં જે કોઈ પણ જીલ્લામાં આ યાત્રા જશે ત્યાં સાધુ સંતોને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરાવી આપવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે






Latest News