મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ


SHARE







ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ

અખંડ સનાતન રક્ષાદલના રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજી મહારાજ ગઇકાલે મોરબીમાં આવ્યા હતા ત્યારે તેઓની અધ્યક્ષતામાં મોરબીના રામચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરમાંથી આવેલા સંતો અને મહંતો હાજર રહ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ મોરબીના વિવિધ સંસ્થાઓના પ્રમુખ, ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સંતોનું સન્માન કરીને આશીર્વાદ લીધા હતા આ મિટિંગમાં ખાસ કરીને આગામી દિવસોમાં દ્વારકાથી ભારત યાત્રા નીકળવાની છે તેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા દ્વારા મોરબી જીલ્લામાં આ યાત્રા આવે ત્યારથી લઈને બીજા જીલ્લામાં આગળ વધે ત્યાં સુધીની તમામ સેવા કરવાની જવાબદારી સ્વીકારી છે તેમજ ગુજરાતનાં જે કોઈ પણ જીલ્લામાં આ યાત્રા જશે ત્યાં સાધુ સંતોને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરાવી આપવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે






Latest News