મોરબી જીલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરોની બદલી મુદે ફેર વિચારણા કરવા રેવન્યુ વકીલોની માંગ
મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
SHARE
મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબી તાલુકાના રામગઢ (કો) ગામે રામનાથ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા ૧૮ અને ૧૯ ના આ તમામ કાર્યક્રમ યોજાશે
સમસ્ત રામગઢ ગામ તથા યુવક મંડળ દ્વારા રામનાથ મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૮ અને ૧૯ ના રોજ જુદાજુદા કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં તા ૧૮ ના રોજ સવારે ૭:૩૦ કલાકે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, જલયાત્રા, પ્રસાદ વાસ્તુ, ગૃહ શાંતિ, આરતી અને નગર શોભાયાત્રા તેમજ રાત્રે ૯ કલાકે ધૂન-ભજનનું આયોજન કરેલ છે તો તા ૧૯ ના રોજ સવારે સ્થાપિતદેવ પૂજા, કૂટીર હોમ, સ્થાપન વિધિ, પ્રતિષ્ઠા મહાઆરતી, શાંતિ પુષ્ટિક હોમ, ફળ ફળાદી હોમ અને સાંજે ૪:૩૦ કલાકે બીડું હોમશે ત્યાર બાદ મહાઆરતી કરશે આ ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદનો લાભ લેવા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે