મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE







મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી તાલુકાના રામગઢ (કો) ગામે રામનાથ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા ૧૮ અને ૧૯ ના આ તમામ કાર્યક્રમ યોજાશે

સમસ્ત રામગઢ ગામ તથા યુવક મંડળ દ્વારા રામનાથ મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૮ અને ૧૯ ના રોજ જુદાજુદા કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં તા ૧૮ ના રોજ સવારે ૭:૩૦ કલાકે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, જલયાત્રા, પ્રસાદ વાસ્તુ, ગૃહ શાંતિ, આરતી અને નગર શોભાયાત્રા તેમજ રાત્રે ૯ કલાકે ધૂન-ભજનનું આયોજન કરેલ છે તો તા ૧૯ ના રોજ સવારે સ્થાપિતદેવ પૂજા, કૂટીર હોમ, સ્થાપન વિધિ, પ્રતિષ્ઠા મહાઆરતી, શાંતિ પુષ્ટિક હોમ, ફળ ફળાદી હોમ અને સાંજે ૪:૩૦ કલાકે બીડું હોમશે ત્યાર બાદ મહાઆરતી કરશે આ ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદનો લાભ લેવા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News