મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું


SHARE







હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા શાખા નહેર હળવદ, ટીકર અને જૂના ઘાટીલા થઈને માળીયા સુધી પહોંચે છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ કેનાલ ઉપરનું પુલિયું જર્જરિત થઈ ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા હોવાથી તેના ઉપરથી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને લોકોને તેના વાહન કેનાલની ડાબી તેમજ જમણી બાજુએ ૬૦૦ મીટર જેટલા અંતરે આવેલ બીજા પુલિયા ઉપરથી પસાર કરવા માટે થઈને જવાબદાર અધિકારી દ્વારા નોટિસ મારફતે જાણ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ટીકર ગામની બાજુમાંથી પસાર થતી નદીમાંથી રેતી ચોરી કરવા માટે રાત દિવસ રેતી ભરેલા ડમ્પરો દોડતા હોય છે અને તેના કારણે આ પુલિયું જર્જરીત થઈ ગયેલ છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પુલિયા ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે તેના ઉપરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે અને સ્થાનિક ગામના સરપંચ તેમજ આગેવાનોને આ અંગેની જાણ પણ કરવામાં આવી છે અને આ પુલિયા ઉપરની પારાપેટ તૂટેલી હાલતમાં છે અને પુલિયું પણ જર્જરીત હોવાથી અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ હોવાથી તેને બંધ કરવામાં આવ્યું છે






Latest News