મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું
SHARE
હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું
મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા શાખા નહેર હળવદ, ટીકર અને જૂના ઘાટીલા થઈને માળીયા સુધી પહોંચે છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ કેનાલ ઉપરનું પુલિયું જર્જરિત થઈ ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા હોવાથી તેના ઉપરથી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને લોકોને તેના વાહન કેનાલની ડાબી તેમજ જમણી બાજુએ ૬૦૦ મીટર જેટલા અંતરે આવેલ બીજા પુલિયા ઉપરથી પસાર કરવા માટે થઈને જવાબદાર અધિકારી દ્વારા નોટિસ મારફતે જાણ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ટીકર ગામની બાજુમાંથી પસાર થતી નદીમાંથી રેતી ચોરી કરવા માટે રાત દિવસ રેતી ભરેલા ડમ્પરો દોડતા હોય છે અને તેના કારણે આ પુલિયું જર્જરીત થઈ ગયેલ છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પુલિયા ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે તેના ઉપરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે અને સ્થાનિક ગામના સરપંચ તેમજ આગેવાનોને આ અંગેની જાણ પણ કરવામાં આવી છે અને આ પુલિયા ઉપરની પારાપેટ તૂટેલી હાલતમાં છે અને પુલિયું પણ જર્જરીત હોવાથી અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ હોવાથી તેને બંધ કરવામાં આવ્યું છે