માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું


SHARE













હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા શાખા નહેર હળવદ, ટીકર અને જૂના ઘાટીલા થઈને માળીયા સુધી પહોંચે છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ કેનાલ ઉપરનું પુલિયું જર્જરિત થઈ ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા હોવાથી તેના ઉપરથી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને લોકોને તેના વાહન કેનાલની ડાબી તેમજ જમણી બાજુએ ૬૦૦ મીટર જેટલા અંતરે આવેલ બીજા પુલિયા ઉપરથી પસાર કરવા માટે થઈને જવાબદાર અધિકારી દ્વારા નોટિસ મારફતે જાણ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ટીકર ગામની બાજુમાંથી પસાર થતી નદીમાંથી રેતી ચોરી કરવા માટે રાત દિવસ રેતી ભરેલા ડમ્પરો દોડતા હોય છે અને તેના કારણે આ પુલિયું જર્જરીત થઈ ગયેલ છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પુલિયા ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે તેના ઉપરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે અને સ્થાનિક ગામના સરપંચ તેમજ આગેવાનોને આ અંગેની જાણ પણ કરવામાં આવી છે અને આ પુલિયા ઉપરની પારાપેટ તૂટેલી હાલતમાં છે અને પુલિયું પણ જર્જરીત હોવાથી અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ હોવાથી તેને બંધ કરવામાં આવ્યું છે






Latest News