મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને એજન્સીમાં ખોટ જતાં મચ્છુ નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરમાં યુવાનને એજન્સીમાં ખોટ જતાં મચ્છુ નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત

વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા યુવાનને જુદી જુદી બે એજન્સીઓ હતી અને તેમાં ધંધામાં ખોટ ગયેલ હોવાથી આર્થિક સંકળામણના કારણે તેણે મચ્છુ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મૃતકના મિત્ર દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલા વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ધીરજલાલ મણિયાર જાતે મોઢ વણિક (૪૮)એ રાતીદેવડી પાસેથી પસાર થતી મચ્છુ નદીના પુલ ઉપરથી મચ્છુ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જે બનાવની મનીષભાઈ વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય જાતે બ્રાહ્મણ (૪૪) રહે. પ્રેડક સોસાયટી વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી મળે મૃતક યુવાનને થમ્સઅપ હિન્દુસ્તાન કોકાકોલાની એજન્સી અને અમુલની એજન્સી હતી જો કે, તેને ધંધામાં ખોટ ગઈ હોવાથી આર્થિક સંકળામણથી પોતે પોતાની જિંદગીથી કંટાળી ગયેલ હોય તેણે નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે તેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતથી નુકશાન

મોરબી માળિયા નેશનલ હાઈવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મિલન પાર્કમાં રહેતો સાવનભાઈ દિનેશભાઈ સખપરા જાતે પ્રજાપતિ (૨૫) નામનો યુવાન પોતાની સ્કોડા કંપનીની કાર નંબર જીજે ૩૬ એજે ૭૪૫૦ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટેલર નંબર જીજે ૧૨ એયું ૭૩૮૨ ના ચાલકે પોતાના વાહનનું એકદમ કાઉ મારતા યુવાનની કારને હડફેટે લીધી હતી અને ખાલી સાઇડના દરવાજા તથા બોનેટમાં નુકસાન કર્યું હતું જેથી કરીને યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલરના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News