હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સંતો-મહંતોની આગેવાનીમાં કૃષ્ણો જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન


SHARE













વાંકાનેરમાં સંતો-મહંતોની આગેવાનીમાં કૃષ્ણો જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન

થોડા દિવસ પહેલા વાંકાનેરનું પૌરાણીક અને મોટું મંદિર ધરાવતું રઘુનાથજી મંદિરમાં વાંકાનેર શહેર અને તાલુકામાં આવેલ મંદિરોમાં બીરાજતાં સંતો-મહંતો સાથે મળી અને આ વખતે કૃષ્ણો જન્મોત્સવ અને શોભાયાત્રા સાધુ સંતો અને મહંતોની આગેવાનીમાં જો કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની વધારેમાં વધારે સંખ્યા થાય અને કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી હતી.

આ વાતની જાણ વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનોને પણ કરવામાં આવી હતી. અને વાંકાનેરના ધારાસભ્ય અને વાંકાનેરના રાજય સભાના સાંસદને પણ જાણ કરી છે દરેક લોકોને આ વાત બહુ ગમી હતી અને દરેક લોકોનો એક જ અવાજ હતો કે રાજકારણમાં ધર્મનું હોવું જરૂરી છે. પરંતુ ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી. આપણે ધર્મ માટે એક નહીં થાય તો આપણા દેશના નેતાઓનું સપનું છે કે, આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવું છે. તો બધા લોકોએ આમા સાથે જોડાઇ જવું એ સનાતન હિન્દુ ધર્મ માટે અનિવાર્ય છે.

આ બાબતે બે વાર સંતો મહંતો ભેગા થયા હતાં અને આખરે નકકી કરવામાં આવ્યું કે, આ વખતે શ્રી કૃષ્ણો જન્મોત્સવની શોભાયાત્રા બધા સંતો મહંતોની આગેવાનીમાં કાઢવામાં આવશે. અને વાંકાનેર મધ્યમાં આવેલ ફળેશ્વર મહાદેવના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે તે જ રીતે યાત્રા કાઢવામાં આવે અને જુના રુટ પ્રમાણે જ શોભાયાત્રા કાઢવામાં આવશે. દરેક બાબતોમાં કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાનીમાં આ યાત્રા કાઢવામાં આવશે. તેવું નકકી કરવામાં આવેલ હતું.

આગામી તા. ૨૦-૮-૨૦૨૩ને રવિવારના રોજ ફળેશ્વર મંદિરની જગ્યામાં સાંજે ૫-૩૦ કલાકે એક ભવ્ય મીટીંગનું આયોજન રાખવામાં આવેલ છે. અને મીટીંગ પૂર્ણ થયા બાદ મહા પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. તો સનાતન હિન્દુ ધર્મપ્રેમીઓએ દરેક વિસ્તારમાંથી બધા મિત્ર મંડળો અને સેવા આપતી સંસ્થાઓએ આવવા અને સાધુ સંતોનું માન રાખી અને સાધુસંતોની આગેવાનીમાં નીકળનાર શોભાયાત્રામાં સહકાર આપવા અનુરોધ કરાયેલ છે






Latest News