મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સંતો-મહંતોની આગેવાનીમાં કૃષ્ણો જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન


SHARE













વાંકાનેરમાં સંતો-મહંતોની આગેવાનીમાં કૃષ્ણો જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન

થોડા દિવસ પહેલા વાંકાનેરનું પૌરાણીક અને મોટું મંદિર ધરાવતું રઘુનાથજી મંદિરમાં વાંકાનેર શહેર અને તાલુકામાં આવેલ મંદિરોમાં બીરાજતાં સંતો-મહંતો સાથે મળી અને આ વખતે કૃષ્ણો જન્મોત્સવ અને શોભાયાત્રા સાધુ સંતો અને મહંતોની આગેવાનીમાં જો કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની વધારેમાં વધારે સંખ્યા થાય અને કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી હતી.

આ વાતની જાણ વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનોને પણ કરવામાં આવી હતી. અને વાંકાનેરના ધારાસભ્ય અને વાંકાનેરના રાજય સભાના સાંસદને પણ જાણ કરી છે દરેક લોકોને આ વાત બહુ ગમી હતી અને દરેક લોકોનો એક જ અવાજ હતો કે રાજકારણમાં ધર્મનું હોવું જરૂરી છે. પરંતુ ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી. આપણે ધર્મ માટે એક નહીં થાય તો આપણા દેશના નેતાઓનું સપનું છે કે, આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવું છે. તો બધા લોકોએ આમા સાથે જોડાઇ જવું એ સનાતન હિન્દુ ધર્મ માટે અનિવાર્ય છે.

આ બાબતે બે વાર સંતો મહંતો ભેગા થયા હતાં અને આખરે નકકી કરવામાં આવ્યું કે, આ વખતે શ્રી કૃષ્ણો જન્મોત્સવની શોભાયાત્રા બધા સંતો મહંતોની આગેવાનીમાં કાઢવામાં આવશે. અને વાંકાનેર મધ્યમાં આવેલ ફળેશ્વર મહાદેવના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે તે જ રીતે યાત્રા કાઢવામાં આવે અને જુના રુટ પ્રમાણે જ શોભાયાત્રા કાઢવામાં આવશે. દરેક બાબતોમાં કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાનીમાં આ યાત્રા કાઢવામાં આવશે. તેવું નકકી કરવામાં આવેલ હતું.

આગામી તા. ૨૦-૮-૨૦૨૩ને રવિવારના રોજ ફળેશ્વર મંદિરની જગ્યામાં સાંજે ૫-૩૦ કલાકે એક ભવ્ય મીટીંગનું આયોજન રાખવામાં આવેલ છે. અને મીટીંગ પૂર્ણ થયા બાદ મહા પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. તો સનાતન હિન્દુ ધર્મપ્રેમીઓએ દરેક વિસ્તારમાંથી બધા મિત્ર મંડળો અને સેવા આપતી સંસ્થાઓએ આવવા અને સાધુ સંતોનું માન રાખી અને સાધુસંતોની આગેવાનીમાં નીકળનાર શોભાયાત્રામાં સહકાર આપવા અનુરોધ કરાયેલ છે






Latest News