મોરબીની એડી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોક્સો કેસના આરોપીનો જામીન ૫૨ છુટકારો
મોરબીમાં કાલે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે
SHARE
મોરબીમાં કાલે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે
ધાર્મિક ઉત્સવ સમિતિ તથા સમસ્ત સીધી સમાજના સહયોગથી કાલે તા.૨૦ ઓગસ્ટને રવિવારના રોજ શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ તા.૨૦-૮ ને રવિવારના રોજ સિંધુ ભવન, સ્ટેશન રોડ મોરબી ખાતે યોજાશે જે મહોત્સવ નિમિતે સવારે ૮:૩૦ કલાકે પુર્ણાહુતી પૂજા વિધિ, સવારે ૧૦:૩૦ કલાકે અખ્ખો-પજડા-આરતી-પલ્લવ તેમજ બપોરે ૧૨ થી ૨:૩૦ સુધી ભંડારો (પ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત સાંજે પુર્ણાહુતી મહોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે યોજાશે જેમાં સાંજે ૫:૩૦ કલાકે ભેહરાણા સાહેબ, રાત્રે ૮:૩૦ કલાકે જ્યોતિ પરવાના અને રાત્રે ૯ કલાકે ભંડારો (પ્રસાદ) યોજાશે.ધાર્મિક મહોત્સવમાં સિંધી સમાજના દરેક ભાઇ-બહેનોએ પધારવા સિંધી જનરલ પંચાયત દ્વારા ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.