મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની એડી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોક્સો કેસના આરોપીનો જામીન ૫૨ છુટકારો


SHARE















મોરબીની એડી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોક્સો કેસના આરોપીનો જામીન ૫૨ છુટકારો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદીએ ફરીયાદ આપેલ કે આ કામના આરોપીએ ફરીયાદીની દીકરીને કાયદેસરના વાલીપણાંમાથી લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી ગુનો કરેલ છે.ઉપરોકત બાબતે આરોપીએ ગુનો કરેલ હોવાની ફરીયાદીએ ફરીયાદ કરતા તે ફરીયાદ આધારે મો૨બી સીટી બી ડીવીઝવ પોલીસે આરોપી વીરુધ્ધ આઈપીસી કલમ મુજબ તથા પોકસો અધીનીયમની કલમ મુજબનો ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો.આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ થયેલ હતી.આરોપી તરફેથી દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો આરોપીએ કરેલ નથી. આરોપી કયાંય નાશીભાગી જાય તેમ નથી. તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ ક૨ીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખીને આરોપી કરણ દિનેશભાઈ સોમાણીને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફેથી દીલીપભાઈ અગેચાણીયા, એસ.ડી.મોઘીયા જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ ૫૨મા૨, ૨વી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News