મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન


SHARE













મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતાસભર કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધજનોમાં જાણીતાં ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું ૩૫૦ મું વર્ષ ચાલી રહ્યું છે.ત્યારે "વર્તમાન ભારતના પરિપેક્ષમાં છત્રપતિ શિવાજી મહારાજની શૂરવીરતા, શાસન વ્યવસ્થા અને સુરાજ્યનું મહત્વ" વિષય ઉપર એક વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વિચારગોષ્ઠીના વક્તા તરીકે ૨૦ થી વધુ દેશોમાં જેમણે પ્રવાસો કર્યા છે તેવા નીટના પૂર્વ પ્રાધ્યાપક અને અનેકવિધ પુસ્તકોના લેખક, ચિંતક અને વક્તા સદાનંદજી સપ્રે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ આવતી કાલ તા.૨૦-૮ ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે મોરબીના સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ, પહેલો માળ જીઆઇડીસી શનાળા રોડ મોરબી ખાતે યોજાશે. શહેરના પ્રબુદ્ધજનોને આ વિચારગોષ્ઠીમાં જોડાવા માટે ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી (મો.૯૮૭૯૦ ૨૪૪૧૦) તથા સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજા (મો.૯૮૭૯૭ ૬૩૬૩૦) એ આહ્વાન કરવામાં આવ્યું છે.

 






Latest News