મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન
મોરબીના ઘુંટુ નજીક કેનાલ કાંઠે આવેલ પેપરમીલ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ સળગાવી પ્રદૂષણ ફેલાવાતા ગ્રામજનો દ્રારા જીપીસીબીમાં ફરીયાદ
SHARE
મોરબીના ઘુંટુ નજીક કેનાલ કાંઠે આવેલ પેપરમીલ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ સળગાવી પ્રદૂષણ ફેલાવાતા ગ્રામજનો દ્રારા જીપીસીબીમાં ફરીયાદ
ગામના યુવાનોએ બોઈલરમાં ગેરકાયદે પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાનો પર્દાફાશ કર્યો..! :વિવેકાનંદ યુવા સમિતિના સભ્યો બીજા જ દિવસે ગાંધીનગર પહોંચ્યા
મોરબીના હળવદ રોડ આવેલ ઘૂંટુ ગામમાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી રાત્રીના સમયે પ્લાસ્ટીક બળવાની એકદમ તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.આ બાબતે ગામના જાગૃત લોકો દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સ્થાનિક મોરબી કચેરીના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી જેથી અંતે ઘુંટુ ગામની વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાં તપાસ કરતા અહીં જીપીસીબીના નિયમોનો ઉલાળીયો કરીને પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.( શું આ બધું જીપીસીબીના ધ્યાનમાં નહીં હોય..?
મોરબીના ઘુંટુ ગામ નજીક કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાંથી પ્લાસ્ટીક બળવાની તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં અંતે રાત્રીના સમયે વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ આ પેપરમીલે જઇને ત્યાં તપાસ કરતા રોલ્ટાસ પેપરમિલ દ્વારા ગેરકાયદેસર રીતે પ્લાસ્ટીક વેસ્ટ બોઈલરમાં સળગાવવામાં આવતો હતો જેના કારણે ચીમનીમાંથી એકદમ ઘટ્ટ ધુમાડો પણ નીકળતો હતો. આ સમગ્ર ઘટનાક્રમના વિડીયો અને ફોટો યુવાનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા ત્યારબાદ જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને માત્ર નોટીસ આપીને સંતોષ માની લીધો હતો..!
આ અંગે સંતોષકારક કાર્યવાહી ન થઈ હોવાથી વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ બીજા જ દિવસે ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન આર.બી.બારડ અને સભ્ય સચિવ ડી.એમ.ઠાકરને રૂબરૂ મળીને ફોટો-વિડિયો અને તમામ લીટરેચર આ બંને અધિકારીઓને સોંપીને લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ ચેરમેન બારડે આ પેપરમીલ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો જેથી આ અંગે સંતોષકારક કાર્યવાહી થશે તેવી ગામના યુવાનોમાં આશા સેવાઈ રહી છે.જોકે સ્થાનિક લેવલે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ છે..?









