મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાની શ્રી સજનપર પ્રા. શાળાનું ગૌરવ, બે શિક્ષકોની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી


SHARE













મોરબી : ટંકારાની શ્રી સજનપર પ્રા. શાળાનું ગૌરવ, બે શિક્ષકોની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક" તરીકે બિરદાવવામાં આવેલ છે જેમાં મોરબીના ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રા. શાળામાં છેલ્લા છ વર્ષથી બાળકોના શિક્ષણની સાથે  વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ કરાવી બાળકોના વિકાસમાં શ્રેષ્ઠ ફાળો આપેલ છે.તેવા દેત્રોજા ભારતીબેન પંચાણભાઇને જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે મોરબી વિસ્તારના રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના હસ્તે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળેલ છે.

તેમજ મોટા દહીંસરા તાલુકા શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી તાલુકા શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા અને સાથે સાથે બાળકોના શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા તેમજ વિવિધ સહભ્યાસીક પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી હાલમાં શ્રી સજનપર પ્રા.શાળામા ફરજ બજાવતા આદેસણા રેખાબેન કુમનદાસને માળિયા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી પ્રોત્સાહીત કરવામાં આવેલ છે.આ બંને શ્રી સજનપર પ્રા. શાળાના શિક્ષિકા બહેનોની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ થવા બદલ સમગ્ર શાળા પરિવાર અને આચાર્ય અલ્પેશભાઈ પુજારા દ્રારા બંનેને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.






Latest News