મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા રણશિંગુ ફૂક્યું


SHARE













ટંકારા તાલુકામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા રણશિંગુ ફૂક્યું

ટંકારા તાલુકાના એફપીએસ એશો. દ્વારા ટંકારા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કેતન સખિયાને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આગામી ૧ સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેની જાણ કરવામાં આવેલ છે ત્યારે જીલ્લા સંગઠનના પ્રમુખ પંકજભાઈ સબાપરા, ટંકારા એશો. પ્રમુખ ધીરૂભાઈ ચાવડા, મહામંત્રી ભુપતસિંહ ઝાલા, નંદલાલભાઈ પરમાર, ચંદ્રકાંત પટેલ, કાનાભાઈ જીવાણી, મોહનભાઇ પારીયા, રવિન્દ્ર ભાડજા, ભરત પાટડીયા, સહિતના સંચાલકો હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે કમીશન પેટે ૨૦ હજાર તથા એક કિલો ગ્રામ ઘટ આપવી સહિતના મુદા ઉપર રાજ્ય સંગઠનની બેઠકમા સર્વનુમતે નિર્ણય કર્યો છે કે, પડતર પ્રશ્નો ઉકેલાતા નથી જેથી આગામી ૧ સપ્ટેમ્બરે સસ્તા અનાજની દુકાનો રાશન જથ્થો ઉપાડશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનામાં સાતમ આઠમના તહેવારો આવતા હોય અને રસોઈ માટે વધારે પણ જથ્થો મળતો હોય જરૂરીયાતમંદ પરિવારોને હેરાન પરેશાન થવાની ભીતી સેવાઈ રહી છે જેથી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ તે જરૂરી છે








Latest News