મોરબીના શીવસેવક ગ્રૂપ દ્વારા સુરજબારી પુલ પાસે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
SHARE









મોરબીના શીવસેવક ગ્રૂપ દ્વારા સુરજબારી પુલ પાસે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
મોરબી જિલ્લાના માળીયા પાસે સુરજબારી પુલ નજીક આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર રોડ (મોરબી) દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ તા ૨૮ થી શરૂ કરવામાં આવશે
કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના ઘણા પદયાત્રીઓ જતાં હોય છે અને કચ્છ બાજુ જવાના રસ્તા મોરબી જિલ્લામાથી જ પસાર થાય છે જેથી કરીને માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે જુદાજુદા સમાજ અને સંગઠનો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે માટે શીવસેવક ગ્રુપ-રવાપર રોડ (મોરબી) દ્વારા સુરજબારી પુલ પહેલા પોલીસ ચેક પોસ્ટ પાછળના ભાગમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ તા ૨૮ થી શરૂ કરવામાં આવશે અને તા ૧/૧૦ સુધી ચાલુ રહેશે આ કેમ્પમાં પદયાત્રીઓને ૨૪ કલાક ચા – નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે ખાસ એસી અને મોબાઈલ ચાર્જની પણ સુવિધા રાખવામા આવી છે અને કેમ્પની વધુ વિગત માટે જયેશભાઇ પટેલ (99790 50000), સંજયભાઈ કૈલા (98793 76033), મયુરભાઇ વરમોરા (98252 17710) અને આનંદભાઇ કાસુન્દ્રા (90333 45777) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
