હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ


SHARE













મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે પ્રિન્સિપાલસ્ટાફ તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે ઉદ્દેશથી કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આ કાર્યક્ર્મ યોજવામાં આવેલ હતો

આ કાર્યક્રમમાં એન. એસ. એસ. પ્રવૃત્તિનો ઉદ્ભવવિકાસ અને તેનું રાષ્ટ્ર ઘડતરમાં અને વ્યક્તિત્વ ઘડતરમાં યોગદાન અંગે સંબોધનો કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવેલ હતા રાષ્ટ્રના ઘડતરમાંવ્યક્તિના ઘડતરમાંસામાજિક જાગૃતિ તથા વિકાસ માટે એન.એસ.એસ. વિભાગ વર્ષોથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારતભરમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિ કોલેજના સ્થાપના કાળથી આજ દિન સુધી એન.એસ.એસ. વિભાગ દ્વારા સતત ધબકતી રહી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદી જુદી કૃતિઓ રજૂ કરી રાષ્ટ્ર ભાવનાસ્વચ્છતાસંસ્કૃતિ જાણવણી સંદર્ભની પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી. કોલેજના વિદ્યાર્થી અને એન.એસ.એસ.ના સ્વયંસેવક એવાં શીતલ પરમારકોમલ સવાડીયામુકેશ મકવાણાદર્શન વસોયામલેક મકબુલ હુસેનએ પોતાની કૃતિઓ રજૂ કરેલ હતી અને છેલ્લા ઘણા વર્ષો સુધી આ કોલેજમાં જેમણે એન.એસ.એસ. વિભાગ સંભાળેલ તેવા ડો. એલ. એમ. કંજારિયાએ એન.એસ.એસ. અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી અને અંતમાં કોલેજના પ્રોફેસર કે.આર. દંગીએ આભાર વ્યકત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન એન.એસ. એસ. ઓફિસર ડો. આર.કે. વારોતરીયાએ કરેલ હતું






Latest News