મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગલા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર જનતામાં ટ્રેનના એસી કોચમાં એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને મુસાફરોએ દોઢ કલાક ટ્રેન રોકી


SHARE











સૌરાષ્ટ્ર જનતામાં ટ્રેનના એસી કોચમાં એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને મુસાફરોએ દોઢ કલાક ટ્રેન રોકી

વેરાવળથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન હતા જેથી કરીને મુસાફરો દ્વારા રેલવે વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી જો કે આ ટ્રેન વાંકાનેર સુધી આવી ગઈ ત્યાં સુધી તેના એસી કોચના એસી ચાલુ કરવામાં આવ્યા ન હતા જેથી કરીને માત્ર બે મિનિટનો વાંકાનેર સ્ટેશને આ ટ્રેનનો સ્ટોપ હતો ત્યાં મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી ગયા હતા અને દોઢ કલાક સુધી ધમાલ કરી ત્યારે ટ્રેનમાં એસી ચાલુ કરીને વાંકાનેરથી મુસાફરોને ટ્રેનમાં બેસાડીને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી

દરરોજ વેરાવળથી બાંદ્રા તરફ જવા માટે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં ટ્રેન બપોરે વેરાવળથી ઉપડે છે તેવી જ રીતે ગૂરૂવારે પણ ઉપાડી હતી જો કે, આ ટ્રેનના એસી કોચના એસી ચાલુ ન હોવાથી મુસાફરો દ્વારા રેલ્વે વિભાગમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી તો પણ એસી ચાલુ કરવામાં ન આવતા વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન પહોચી અને ત્યાં માત્ર બે જ મિનિટનો ટ્રેનનો સ્ટોપ હતો જો કે, મુસાફરોએ એસી મુદે હંગામો કરતાં રેલવેના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અત્રે ઉલેખનીય છે કે, જે સ્ટેશને માત્ર બે જ મિનિટનો સ્ટોપ હતો ત્યાં મુસાફરોએ એસી કોચમાં એસી બંધ હતા તે મુદાને લઈને દોઢ કલાક સુધી ટ્રેનને રોકી રાખી હતી અને જેથી કરીને વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તાત્કાલિક એસી ચાલુ કરાવીને સાંજે 5:34 કલાકે આ ટ્રેનને બાંદ્રા તરફ રવાના કરવામાં આવી હતી






Latest News