મોરબી જીલ્લામાં બાઈકમાં થયેલ નુકશાનીના ૫૦૦ રૂપિયા ન આપતા આધેડની હત્યા
SHARE
મોરબી જીલ્લામાં બાઈકમાં થયેલ નુકશાનીના ૫૦૦ રૂપિયા ન આપતા આધેડની હત્યા
હળવદના મેરૂપર ગામે સાળાને પથ્થરના ઘા ઝીકીને બનેવી અને તેના બે મિત્રોએ હત્યા કરી નાખી હોવાની સામે આવ્યું હતું જેથી કરીને સ્થાનિક પીઆઇ સહિતના પોલીસ જવાનો સ્થળ ઉપર પહોચ્યા હતા અને અને પ્રાથમિક તપાસમાં બાઈકમાં થયેલ નુકશાનીના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હોવાનુ સામે આવ્યું છે અને હાલમાં ત્રણ શખ્સો પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદના મેરૂપર ગામે યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ એમપીના રહેવાસી દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા તેના જ બનેવી અને તેના મિત્રોએ કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હાલમાં મૃતકના દીકરા નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયા, ચંદુભાઈ જુબાટીયાભાઈ, છીતુંભાઈ જુબાટીયાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેના પિતા દેવલાભાઈ ચૌહાણ અને તેના મામા વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. અને વધુમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું. જેથી કરીને છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના ૫૦૦ રૂપિયા ફરિયાદી પાસે માંગતા હતા અને ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરીને ફરિયાદીના પિતાની હત્યા કરેલ છે આમ બનેવી અને તેના બે મિત્રો દ્વારા સાળાની હત્યા કરવામાં આવી છે ત્યારે આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે