ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે ગાંધીના કારખાના પાસેથી એક્ટિવા લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ પીપળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં રહેતા ઋત્વિકભાઈ અશોકભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે ગાંધીના કારખાના નજીકથી તેનો ભાઈ ભાવિનભાઈ અશોકભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૪) એક્ટિવા નંબર જીજે ૩૬ કયું ૮૫૦૦ લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ભાવિનભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનો મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હોય અજાણ્યા વાહન ચાલક સામે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

કારમાં નુકશાન
માળીયા કંડલા હાઇવે ઉપર આવેલ આરામ હોટલ સામેથી બોટાદના નાગલપર ગામે રહેતા વશરામભાઈ રામાભાઇ જોગરાણા જાતે ભરવાડ (૪૩)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉત્તર પ્રદેશના રહેવાસી સત્યપાલસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણ જાતે રાજપૂત (૩૧)ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૧૨ બીએક્સ ૬૨૦૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીની હુન્ડાઈ વર્ના કાર નંબર જીજે ૧૦ બીજી ૯૧૧૮ ની પાછળના ભાગમાં ઠાઠામાં ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતમાં બનાવમાં કારમાં નુકસાની થઇ હોવાથી તે અંગેની ફરિયાદ હાલમાં તેમણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News