મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE















મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે ગાંધીના કારખાના પાસેથી એક્ટિવા લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ પીપળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં રહેતા ઋત્વિકભાઈ અશોકભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે ગાંધીના કારખાના નજીકથી તેનો ભાઈ ભાવિનભાઈ અશોકભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૪) એક્ટિવા નંબર જીજે ૩૬ કયું ૮૫૦૦ લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ભાવિનભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનો મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હોય અજાણ્યા વાહન ચાલક સામે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

કારમાં નુકશાન
માળીયા કંડલા હાઇવે ઉપર આવેલ આરામ હોટલ સામેથી બોટાદના નાગલપર ગામે રહેતા વશરામભાઈ રામાભાઇ જોગરાણા જાતે ભરવાડ (૪૩)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉત્તર પ્રદેશના રહેવાસી સત્યપાલસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણ જાતે રાજપૂત (૩૧)ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૧૨ બીએક્સ ૬૨૦૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીની હુન્ડાઈ વર્ના કાર નંબર જીજે ૧૦ બીજી ૯૧૧૮ ની પાછળના ભાગમાં ઠાઠામાં ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતમાં બનાવમાં કારમાં નુકસાની થઇ હોવાથી તે અંગેની ફરિયાદ હાલમાં તેમણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News