મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે વાડીએ સાપ કરડી જતાં વૃદ્ધનું મોત


SHARE













ટંકારાના જબલપુર ગામે વાડીએ સાપ કરડી જતાં વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વૃદ્ધને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હોવાથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વસંતભાઈ મોહનભાઈ ફેફર (૭૦) સીમમાં હતા ત્યારે પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા દરમિયાન સાપ કરડી ગયો હતો જેથી કરીને તેઓને પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેઓને સારવાર માટે મોરબી રીફર કરતા રસ્તામાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવની ટંકારાની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આઈ.ટી. જામ દ્વારા કરવામાં આવેલ છે

ફીનાઇલ પી જતા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર સેંટમેરી સ્કુલ નજીક આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતી મહિલા કોઈ કારણોસર ફિનાઈલ પી જતા તેણીમે સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા શીતલબેન પૃથ્વીભાઈ જોશી નામની ૨૧ વર્ષીય મહિલા કોઈ કારણસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા હાલ આ બાબતે પોલીસ દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે વધુ તપાસ શરૂ કરાઇ છે. જ્યારે ફીનાઇલ પી જવાનો બીજો બનાવ મોરબીની વાવડી ચોકડી નજીક બન્યો હતો જ્યાં અમિતભાઈ નૌતમલાલ વડગામા (ઉમર ૩૫) રહે.ઉમિયાનગર સોસાયટી રવાપર મોરબી નામનો યુવાન અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હોય તેને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું એ ડિવિઝન પોલીસસૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.








Latest News