મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ


SHARE













ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે યુવાનને રોકીને માલઢોર ચરાવવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી જે બનાવમાં બંને પક્ષેથી ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી જાતે પટેલ (૪૨)એ હાલમાં રોહિતભાઈ સિંધાભાઈ ભરવાડની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાનું બાઈક લઈને વાડીએથી ઘર તરફ જતો હતો ત્યારે તેને જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે આરોપીએ રોકીને પોતાના માલ ઢોર ચરાવતા માણસોને કેમ માલ ઢોર ચરાવવાની ના પાડે છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ડાબા હાથની આંગળી ઉપર અને ખભા ઉપર લાકડી વડે માર માર્યો હતો જેથી ફરિયાદીને ટચલી આંગળીમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી તેમજ યુવાનને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામાપક્ષેથી આ બનાવમાં રોહિતભાઈ સિંધાભાઈ ટોડીયા જાતે ભરવાડ (૨૪) રહે. ટંકારા વાળાએ પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે તેઓ તથા સાહેદ સાહિલે આરોપીની વાડીમાં તેમના માલ ઢોર ચરાવેલ ન હોય તેમ છતાં તેનું નામ દેતા હોવાથી ફરિયાદી આરોપીને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા લાકડી વડે વાસામાં ભાગે ફરિયાદીને માર માર્યો હતો અને ત્યારે સાહેદ વચ્ચે પડતા તેને કપાળના ભાગે માર મારતા ફૂટ જેવી ઈજા થઈ ગઈ હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં આ બનાવમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News