મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ


SHARE







ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે યુવાનને રોકીને માલઢોર ચરાવવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી જે બનાવમાં બંને પક્ષેથી ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી જાતે પટેલ (૪૨)એ હાલમાં રોહિતભાઈ સિંધાભાઈ ભરવાડની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાનું બાઈક લઈને વાડીએથી ઘર તરફ જતો હતો ત્યારે તેને જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે આરોપીએ રોકીને પોતાના માલ ઢોર ચરાવતા માણસોને કેમ માલ ઢોર ચરાવવાની ના પાડે છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ડાબા હાથની આંગળી ઉપર અને ખભા ઉપર લાકડી વડે માર માર્યો હતો જેથી ફરિયાદીને ટચલી આંગળીમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી તેમજ યુવાનને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામાપક્ષેથી આ બનાવમાં રોહિતભાઈ સિંધાભાઈ ટોડીયા જાતે ભરવાડ (૨૪) રહે. ટંકારા વાળાએ પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે તેઓ તથા સાહેદ સાહિલે આરોપીની વાડીમાં તેમના માલ ઢોર ચરાવેલ ન હોય તેમ છતાં તેનું નામ દેતા હોવાથી ફરિયાદી આરોપીને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા લાકડી વડે વાસામાં ભાગે ફરિયાદીને માર માર્યો હતો અને ત્યારે સાહેદ વચ્ચે પડતા તેને કપાળના ભાગે માર મારતા ફૂટ જેવી ઈજા થઈ ગઈ હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં આ બનાવમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News