ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત એ.કે. કોમ્યુનિટી હોલ કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત એ.કે. કોમ્યુનિટી હોલ કાર્યક્રમ યોજાશે

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત મહીલા સ્વાલંબન અનુલક્ષી એક મહિલા કાર્યક્રમનું આયોજન રાખેલ છે અને આગામી તા ૧૭ ના રોજ સવારે ૧૦ થી ૧૧ મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં આવેલ એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં ભાર્ગવીબેન ભટ્ટ (સ્વાવલંબી ભારત અભિયાન પ્રાંત સંયોજક) તથા વનિતાબેન રાઠોડ (સ્વદેશી જાગરણ મંચ) માર્ગદર્શન આપશે

આ બંને બહેનોનો વિશિષ્ટ પરિચય આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, રાઠોડ વનિતા (BBA, M.Com, B. Ed) naturopathic doctor.. સંગીત વિશારદના ૫ માં  વર્ષ અભ્યાસ ચાલુ આચાર્યા વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩, રાજકોટ અને (HTAT આચાર્ય) ૧૯ વર્ષ વિશિષ્ટ કાર્ય પર્યાવરણ માવજત, સમાજસેવિકા તથા લેખિકા, શોર્ટ ફિલ્મ નિર્માણ, રેડિયો પર બાળ નાટકો રચવા વિગેરે કામ કરેલ છે અને તેમને વર્ષ ૨૦૨૧ માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક  પુરસ્કાર  માટે પસંદગી થઈ જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સી અરબિંદો સોસાયટી ન્યૂ દિલ્હી દ્વારા ૨૦૧૯ માં નેશનલ  ઈનોવેટિવ ટીચર નો એવોર્ડ mhrd મિનિસ્ટર રમેશ પોખરીયાલજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે તેમજ ૨૦૨૦ ના રાજ્ય પારિતોષિકમાં ગુજરાત સરકારના શ્રેષ્ઠ h-tat આચાર્યનું રાજ્ય કક્ષાનો એવોર્ડ રાજ્યપાલ દેવવ્રતચાર્યના હાથે ના હસ્તે પ્રાપ્ત થયું છે પુણ્ય શોર્ટફિલ્મ માટે ૨૦૧૮ માં નેશનલ સન્માન પ્રાપ્ત થયું હતું આ ઉપરાંત લેખિકા તરીકે ગાંધીનગર સાહિત્ય અકાદમી દ્વારા સન્માન મેળવ્યું છે રાજકોટ જિલ્લા કક્ષાએ હાલમાં સુષ્માસ્વરાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આમ ૫ નેશનલ એવોર્ડ, ૧૫ રાજ્યકક્ષાના એવોર્ડ તથા ૧૧૦ થી વધુ વખત સ્થાનિક સન્માન મળેલ છે તો ભાર્ગવી ઉપાધ્યાય ભટ્ટએ બી.એ  એલએલબી એલ.એલ.એમ. બીજેએમસીનો અભ્યાસ કરેલ છે અને તેઓ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે હાલ સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી છે તેમજ સ્વાવલંબી ભારત અભિયાનમાં સૌરાષ્ટ્ર પ્રાંતની સહ સમન્વયક જવાબદારી છે






Latest News