મોરબી ઉમા વિદ્યા સંકુલનો ચાવડા સમીર સ્કેટિંગ સ્પર્ધામાં નંબર વન
મોરબીમાં ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન-દેહદાન માટે જાગૃત કરાશે
SHARE
મોરબીમાં ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન-દેહદાન માટે જાગૃત કરાશે
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન અને દેહદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે અને ઇચ્છીત યુવાનો દ્વારા અંગદાન અને દેહદાનનો સંકલ્પ કરી શહીદ ભગતસિંહનો જન્મદિવસ સંકલ્પ દિન તરીકે ઉજવાશે
મોરબીમાં આગામી તા ૨૮ ના રોજ શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાનોને અંગદાન અને દેહદાન કરવા બાબતે જાગૃત કરવામાં આવશે તેમજ કેટલાક યુવાનો દ્વારા અંગદાન અને દેહદનનો સંકલ્પ કરવામાં આવશે જે યુયાવનો અંગદાન અને દેહદાન માટે સંકલ્પ કરવા માટે ઇચ્છિત હોય તેના નામ અને સપર્ક નંબરની માહિતી યંગ ઇન્ડિયા ગ્રુપનાં નંબર ૯૧૩૭૮૯૧૩૭૮ વ્હોટાએપનાં માધ્યમથી મોકલી આપવા જણાવ્યુ છે આ અંગે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે પેઢી દર પેઢી દરેક યુવાનો માટે શહીદ ભગતસિંહનો દેશપ્રેમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેવી ભાવના સાથે આ કાર્યક્ર્મ કરવામાં આવી રહ્યો છે આજે દેશમાં કેટલાય દર્દીઓના અંગો અકસ્માતે અન્ય કોઈ કારણોસર ખરાબ થઈ જવાથી મોતને ભેટે છે જોકે મૃત્યુ બાદ અંગોનું વધુને વધુ દાન થાય તે માટે યુવાનોમાં જાગૃતિની જરૂર છે.