મોરબીના પ્રવેશ દ્રાર સમા ભક્તિનગર સર્કલે જ રોડ ઉપર મોટા ગાબડા, શહેરવાસીઓને નક્કર કામગીરીની અપેક્ષા
મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બહેનો માટે સેમીનાર યોજાયો
SHARE
મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બહેનો માટે સેમીનાર યોજાયો
સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત મોરબીના શનાળા રોડ ગુ.હાઉસિંગ બોર્ડ એ.કે.સહયોગ કોમ્યુનિટી હોલમાં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ હતુ.સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત કાર્યકર્તા ભાર્ગવીબેન તથા વનીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે સંઘના જીલ્લા કાર્યવાહક ખાસ ઉપસ્થિત રહેલ તેમને મહિલા સશક્તિકરણ અને મહિલા સંમેલન વિશે વાત કરી હતી.સાથે સ્વાલંબી ભારત અભિયાન મોરબી જીલ્લા સંયોજક જીલેશકુમાર કાલરીયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિશાબેન સરડવા દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાન, અંબુજા ફાઉન્ડેશન, મુસ્કાન વેલ્ફર, રીટાબેન આદ્રોજા, અનસ્ટોપેબલ વોરિયર, પારૂલ સખી મંડળ વગેરે સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાવલંબી બનવા બાબતે માર્ગદર્શન મેળવ્યુ હતુ