મોરબી જિલ્લાના ટંકારાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા
મોરબીથી અંબાજી જવા માટે પદયાત્રાનો સંઘ રવાના
SHARE
મોરબીથી અંબાજી જવા માટે પદયાત્રાનો સંઘ રવાના
મોરબીથી દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અંબાજીના દર્શન માટે મોરબીથી અંબાજીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સુરેશભાઈ મોહનભાઈ નાગપરાની આગેવાની હેઠળ દરવર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રા નીકળી છે મોરબીના આલાપ રોડે સુરેશભાઈ નાગપારના નિવાસ સ્થાન સ્કાય ટાવર ખાતેથી સંઘ રવાના થયેલ છે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૫ વર્ષથી સુરેશભાઈ નાગપરા મોરબીથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે લગભગ ૧૫૦ થી વધુ લોકો જોડાઈ છે અને નવ દિવસ ચાલીને આ સંઘ અંબાજી પહોંચે છે. ત્યાર ત્યાં અંબાજી મંદિરે અંબાજીના દર્શન કરીને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે સાથોસાથ રૂટમાં આવતા બહુચરાજી માતાજીના મંદિરે પણ બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે.