માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેર બીઆરસી ભવનમાં તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો


SHARE













વાંકાનેર બીઆરસી ભવનમાં તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો

વાંકાનેર બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર તાલુકામાંથી કુલ ૨૫ ઇનોવેટીવ ટીચર દ્વારા પોતાના ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા.ડાયટ રાજકોટમાંથી વાંકાનેરના લાયઝન ઓફિસર ડો.નિશાત બાબીની આગેવાનીમાં નિર્ણાયક ટીમ દ્વારા આવેલ તમામ ઇનોવેટિવ ટીચર્સનું મૂલ્યાંકન કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ભીમગુડા પ્રાથમિક શાળાના શિક્ષક હરિયાણી પ્રફુલ્લકુમાર, સરતાનપર પ્રાથમિક શાળાના શિક્ષિકા સાણંદિયા નિરાલીબેન તેમજ ઠીકળીયારી પ્રાથમિક શાળાના શિક્ષિકા સરડવા ડિમ્પલબેનની કૃતિ જીલ્લા કક્ષાએ પસંદ થયેલ છે.કાર્યક્રમનું સફળ સંચાલન કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ નિર્ણાયક તરીકે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી વિશાલભાઈ, સીઆરસી કો-ઓર્ડીનેટર અમિતભાઇ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની સંપૂર્ણ જમત તાલુકાના બીઆરસી કોર્ડીનેટર પરમાર મયુરરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવી હતી






Latest News