મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કૉલેજના પ્રાંગણમાં ત્રિદિવસીય કેમ્પ તથા ત્રીદિવસીય કાર્યક્રમ યોજાયા
વાંકાનેર બીઆરસી ભવનમાં તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો
SHARE
વાંકાનેર બીઆરસી ભવનમાં તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો
વાંકાનેર બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર તાલુકામાંથી કુલ ૨૫ ઇનોવેટીવ ટીચર દ્વારા પોતાના ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા.ડાયટ રાજકોટમાંથી વાંકાનેરના લાયઝન ઓફિસર ડો.નિશાત બાબીની આગેવાનીમાં નિર્ણાયક ટીમ દ્વારા આવેલ તમામ ઇનોવેટિવ ટીચર્સનું મૂલ્યાંકન કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ભીમગુડા પ્રાથમિક શાળાના શિક્ષક હરિયાણી પ્રફુલ્લકુમાર, સરતાનપર પ્રાથમિક શાળાના શિક્ષિકા સાણંદિયા નિરાલીબેન તેમજ ઠીકળીયારી પ્રાથમિક શાળાના શિક્ષિકા સરડવા ડિમ્પલબેનની કૃતિ જીલ્લા કક્ષાએ પસંદ થયેલ છે.કાર્યક્રમનું સફળ સંચાલન કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ નિર્ણાયક તરીકે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી વિશાલભાઈ, સીઆરસી કો-ઓર્ડીનેટર અમિતભાઇ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની સંપૂર્ણ જમત તાલુકાના બીઆરસી કોર્ડીનેટર પરમાર મયુરરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવી હતી