મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે વૃંદાવન ધામમાં સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન


SHARE













મોરબીના રવાપર ગામે વૃંદાવન ધામમાં સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન

મોરબીમાં રવાપર ગામે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા વૃંદાવન ધામ ખાતે સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન  કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૩ થી આ કથા શરૂ થશે અને તા ૨૯ ના રોજ તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

મોરબીના રવાપર ગામે સ્વ. બેચરભાઈ નારણભાઈ ચાડમીયા એવમ્ સર્વે પિતૃઓના મોક્ષાર્થે ચાડમીયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહમાં વ્યાસ પીઠ ઉપરથી પ્રખરવકતા મહામંડલેશ્વર ઘ્યાનયોગી પ.પૂ. અવધકિશોરદાસ રામાયણી લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ચાલશે અને કથા દરમિયાન તા. ૨૩ ના રોજ સવારે ૮ વાગ્યે નરસંગ ટેકરી મંદિરથી ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રા નીકળશે ત્યાર બાદ કથા શરૂ થશે તા. ૨૪ રોજ વરાહ ભગવાન અને કપિલ ભગવાનની પ્રાગટયની કથા, તા. ૨૫ ના રોજ નૃસિંહ ભગવાન અને બાવન ભગવાનની પ્રાગટયની કથા, તા. ૨૬ ના રોજ ભગવાન શ્રીરામની પ્રાગટય કથા અને સાંજે ૬ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તા.૨૭ ના રોજ ગોવર્ધન પૂજન અને મહારાસની કથા, તા. ૨૮ ના રોજ રૂકિમણીના વિવાહ, તા. ૨૯ ના સુદામા ચરિત્ર સંભળાવવામાં આવશે અને દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કથાનો લાભ લેવા માટે ચાડમીયા પરિવાર દ્વારા નગરજનોને આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News