મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો
SHARE
મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો
મોરબી તાલુકાનાં રાજપર ગામે આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જે કાર્યક્રમના સ્થળમાં વરસાદના લીધે ફેરફાર કરવામાં આવેલ છે અને હવે શનાળાથી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે
આગામી તા ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ સુધી રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી “શાંત મન, ખુશહાલ જીવન” વિષય પર વક્તવ્ય આપવાના છે જો કે, વરસાદને લઈને હાલમાં કાર્યક્રમનું સ્થળ બદલાવવામાં આવેલ છે અને હવે આ કાર્યક્રમ શનાળાથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે જેનો મોરબી જિલ્લાના ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનોએ લાભ લેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે અને આ કાર્યક્રમ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન યોજાશે તેના પાસ લેવા અનિવાર્ય છે તેવું મોરબીના સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેને જણાવાયું છે.