મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત


SHARE











હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ પોલીસે સ્ટેશનમાં દીઘડિયા ગામે ભાઈની હત્યાના ગુનામાં થોડા દિવસો પહેલા પકડાયેલા આરોપીએ ગત રાત્રિના સમયે શૌચાલયમા આપઘાત કર્યો છે જેથી કરીને હાલમાં હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઑ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) ની તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ખેતરમાં સિચાઇ માટે પાણી લાવે બાબતે બોલાચાલી કરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં મૃતકના પત્ની દક્ષાબેને ફરીયાદ નોંધાવી હતી કે, રઘાભાઈમૃતક મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કેવીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી સિંચાઇ માટે પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇની હત્યા થયેલ હતી આ ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરી હતી અને તે હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતો દરમ્યાન તેને ત્યાં શૌચાલયમા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધે છે જેથી કરીને હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે






Latest News