મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત


SHARE













મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલું ઘાસ વેચવા માટે જઈ રહેલા આધેડ મહિલાને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી તેને ઈજા થતાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સામુબેન નોધાભાઈ સોલંકી જાતે ભીલ (૫૫) નામના આધેડ મહિલા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલુ ઘાસ વેચવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં સામુબેન સોલંકીને ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મૃતક મહિલાને બે દીકરા અને બે દીકરી હોવાનું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ ચાવડા નામના  ૩૦ વર્ષના યુવાનને કોઈ કારણોસર થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝવ પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા જય રમણીકભાઈ પરમાર નામના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.તે જૂના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવ બન્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.






Latest News