મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલું ઘાસ વેચવા માટે જઈ રહેલા આધેડ મહિલાને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી તેને ઈજા થતાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સામુબેન નોધાભાઈ સોલંકી જાતે ભીલ (૫૫) નામના આધેડ મહિલા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલુ ઘાસ વેચવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં સામુબેન સોલંકીને ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મૃતક મહિલાને બે દીકરા અને બે દીકરી હોવાનું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ ચાવડા નામના  ૩૦ વર્ષના યુવાનને કોઈ કારણોસર થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝવ પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા જય રમણીકભાઈ પરમાર નામના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.તે જૂના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવ બન્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.






Latest News