મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત


SHARE















મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલું ઘાસ વેચવા માટે જઈ રહેલા આધેડ મહિલાને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી તેને ઈજા થતાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સામુબેન નોધાભાઈ સોલંકી જાતે ભીલ (૫૫) નામના આધેડ મહિલા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલુ ઘાસ વેચવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં સામુબેન સોલંકીને ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મૃતક મહિલાને બે દીકરા અને બે દીકરી હોવાનું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ ચાવડા નામના  ૩૦ વર્ષના યુવાનને કોઈ કારણોસર થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝવ પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા જય રમણીકભાઈ પરમાર નામના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.તે જૂના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવ બન્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.






Latest News