મોરબી જીલ્લામાં ચૂંટણી પ્રચાર પછી રાજકીય કાર્યકર્તાઓને રહેવા ઉપર પ્રતિબંધ
મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ-૩ ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત
SHARE
મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ-૩ ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ બીમારીથી કંટાળીને મોરબી નજીકના આર.ટી.ઓ પુલ પાસે મચ્છુ-૩ ડેમ કૂદીને આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ સોસાયટીના મકાન નંબર-૭ માં રહેતા કસ્તુરબેન જયંતિભાઈ ઉઘરેજા (ઉ.૬૭) એ મોરબીના મચ્છુ-૩ ડેમમાં કૂદીને આપઘાત કરેલ છે આ બનાવનીની તપાસ કરતાં એમ.એલ. બારૈયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, વૃદ્ધાને કોઈ બીમારી હોય બીમારીથી કંટાળીને આપઘાત કરેલ છે હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે









