માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક


SHARE

















મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક

મોરબી જિલ્લાની અંદર મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે તેવામાં ડેમના કેચમેટ વિસ્તારમાં અને ડેમના ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી હાલમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં વરસાદી પાણીની આવક સ્થાનિક જળાશયોમાં થઈ રહી છે ત્યારે આજની તારીખે મોરબી જિલ્લાના ૧૦ ડેમમાથી પાંચ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે

મોરબી જીલ્લામાં પડેલા વરસાદ બાદ હાલમાં ડેમોમાં પાણીના આવક ચાલુ છે અને જિલ્લામાં આવેલા ૧૦ ડેમમાથી બંગાવડી, મચ્છુ-૧, મચ્છુ-૩, ડેમી-૧ અને ડેમી-૩ ઓવરફ્લો થઈ ગયા છે અને મચ્છુ-૩ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી તેનો એક દરવાજો હાલમાં ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી સિચાઈ વિભાગના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં પણ ડેમોમાં નવા નીરની આવક ચાલુ જ છે અને મોરબી જિલ્લાના ૧૦ પૈકીનાં પાંચ ડેમોમાં નવા નીરની આવક થયેલ હોવાથી તે ૧૦૦ ટકા ભરાઈ ગયા છે અને દરવાજા હોય તે ડેમમાં દરવાજા ખોલીને પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જો કે, મચ્છુ -૨ ડેમ ૬૫ ટકા ભરેલ છે, ડેમી -૨ ડેમ ૮૨ ટકા ભરેલ છે, બ્રાહ્મણી -૧ ડેમ ૩૨ ટકા ભરેલ છે, બ્રાહ્મણી -૨ માં પણ નવા નીરની આવક થયેલ છે અને ધોડાધ્રોઈ ડેમ ૭૮ ટકા ભરેલ છે




Latest News