મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભંગાર વેચાણના રૂપિયા ન આપતા યુવાનની હત્યા કરનારા તેના જ બે મિત્રોની ધરપકડ


SHARE













મોરબીમાં ભંગાર વેચાણના રૂપિયા ન આપતા યુવાનની હત્યા કરનારા તેના જ બે મિત્રોની ધરપકડ

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં બાવળની જાળીમાંથી મોઢા, કપાળ અને નેણના ભાગ ઉપર બોથડ પદાર્થના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવેલ લાશ મળી હતી જેની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં મૃતક યુવાનના બે મિત્રોની ધરપકડ કરેલ છે અને ભંગારની ચોરી કર્યા બાદ આવેલા રૂપિયા મૃતક યુવાનની પાસે રહેતા હતા જે રૂપિયા બાબતે બોલાચાલીમાં તેની હત્યા કરી હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના મસાદરા ગામના રહેવાસી કનુભાઈ સુરમાભાઈ ખાંટ જાતે ઠાકોર (૫૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, તેઓનો કૌટુંબિક ભાઈ બાબુભાઈ ઉર્ફે બાલુ નાનાભાઈ ખાંટ જાતે ઠાકોર (૨૫) રહે. મુળ મસાદરા જીલ્લો અરવલ્લી વાળો મોરબીની બાજુમાં જુદા જુદા વિસ્તારમાં રખડતું ભટકતું જીવન જીવતો હતો અને કાગળ વીણવાનું કામ કરતો હતો દરમિયાન મોરબી તાલુકાના લાલપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં આવેલ બાવળની જાળીમાંથી મોઢા, કપાળ અને નેણના ભાગે બોથડ પદાર્થના ઘા જીકીને તેની હત્યા કરવામાં આવેલ હાલતમાં લાશ મળી આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં એલસીબીની ટીમે હાલમાં મૃતક યુવાનના જ બે મિત્રો દિનેશ ખુમાન માવી રહે. મૂળ એમપી હાલ લાલપર અને અર્જુન જવરચંદ ગામર રહે. મૂળ એમપી હાલ લાલપર વાળાની ધધરપકડ કરેલ છે અને આ ત્રણેય ઘટના પહેલા લાલપર સ્મશાન તરફ જતા દેખાયા હતા તેવી માહિતી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક સહિતના ત્રણેય સાથે મળીને જે વસ્તુ હોય તે ઉપાડી લેતા હતા અને બાદમાં તેને વેચી નાખતા હતા અને જે રૂપિયા આવેલ તે મૃતક યુવાન પાસે રહેતા હતા જે રૂપિયા બાબતે બોલાચાલી થયેલ હતી જેથી કરીને મૃતકને મોઢા અને માથા ઉપર પથ્થર મારીને તેની હત્યા કરી નાખી હતી હાલમાં પોલીસે તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News