મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સમાજના બહેન-દીકરીઓ માટે રાસોત્સવ યોજાયો
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન
SHARE
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન
મોરબીના પનોતા પુત્ર અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પાટીદાર ભામાશા યારીકે જાણીતા સ્વ. ઓ.આર. પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે તાજેતરમાં મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો ત્યારે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીએ ૪૬ મી વખત રક્તદાન કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા હાજર રહ્યા હતા. તેમજ ૪૪ વર્ષની ઉંમરે રાજ્ય પ્રતિનિધિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા પાટીદાર ધામના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડિયા દ્વારા પ્રથમ વખત બ્લડ ડોનેશન કર્યું હતુ. અને સ્વ. ઓ.આર. પટેલને ખરાઅર્થમાં શ્રધ્ધાંજલી આપી હતી.