મોરબીના બાળકીની હત્યાના બનાવમાં નવો ધડાકો: પુરવાનો નાશ કરવાનો કર્યો હતો આરોપીએ પ્રયાસ
મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સમાજના બહેન-દીકરીઓ માટે રાસોત્સવ યોજાયો
SHARE
મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સમાજના બહેન-દીકરીઓ માટે રાસોત્સવ યોજાયો
મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સૌ પ્રથમ વખત મોરબીમાં આ વખતે સમાજના બહેન-દીકરીઓ માટે બે દિવસ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પણ ક્ષત્રિય સમાજના બહેન દિકરીઓ પરિવાર સાથે રાસ ગરબા લેવા માટે આવ્યા હતા અને ખાસ કરીને આ રાસોત્સવમાં બહેન દીકરીઓએ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત કરણી સેના દ્વાર બે દિવસ સમાજના દીકરી અને બહેનો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના બહેન દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી અને રાસ ગરબાના આ કાર્યક્રમમાં જે બહેન દીકરીઓ દ્વારા સારી રીતે પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતુ તેને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે ગુજરાત રાજપુત કરણી સેનાના પ્રમુખ વી.એસ. જાડેજા સહિતના જુદા જુદા જિલ્લા અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ ખાસ કરીને મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી મીઠા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા ઝાલા, વિક્રમસિંહ જાડેજા, મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા તેમજ મોરબીના પોલીસ બેડામાં અને જુદીજુદી સરકારી કચેરીમાં ફરજ બજાવતા ક્ષત્રિય સમાજના અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અને ક્ષત્રિય સમાજની ઝાંખી કરાવે તેવા રાસોત્સવનું આયોજન કરવા બદલ મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાની ટીમને સહુ કોઈએ બિરદાવી હતી