હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી માત્ર સિરામિક ક્ષેત્રે જ નહીં લવ જેહાદમાં પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન: કાજલ હિન્દુસ્તાની


SHARE













મોરબી માત્ર સિરામિક ક્ષેત્રે જ નહીં લવ જેહાદમાં પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન: કાજલ હિન્દુસ્તાની

મોરબીમાં શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં આવેલ કાજલ હિન્દુસ્તાની એ લવ જેહાદના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને ખાસ કરીને મોરબી જે સિરામિક ક્ષેત્રે નંબર વન છે તે લવ જેહાદના મુદ્દે પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન છે તેવું કહીને હિન્દુઓને જાગૃત થવા માટે ટકોર કરી હતી

હાલમાં લવ જેહાદનો મુદ્દો સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બને છે ત્યારે મોરબીના આંગણે શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં કાજલ હિન્દુસ્તાની આવ્યા હતા ત્યારે તેમણે લવ જેહાદ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાઈચાર તો બહાના હૈ કાફીર કી બેટી કો ફસાના હૈ અને જે લોકો નવરાત્રીના પંડાલોમાં ગરબે રમવા આવે છે તે રામનવમીહનુમાન જયંતિ સહિતના હિન્દુ તહેવારોમાં જ્યારે શોભાયાત્રા નીકળે છે ત્યારે ફૂલ વર્ષાવાના બદલે પથ્થરો કેમ વરસાવે છે ત્યારે ભાઈચારો ક્યાં જાય છે આવા અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ભારતને લવ જેહાદ મુક્ત કરવું છે તેવો પણ લલકાર કર્યો હતો

વધુમાં કહ્યું હતું કે, મોરબી કે જેનું સમગ્ર ભારતની અંદર સિરામિક ટાઇલ્સમાં સૌથી વધુ ઉત્પાદન હોય નંબર વન છે તે મોરબી હવે લવ જેહાદની ઘટનાઓમાં પણ નંબર વન છે જેથી કરીને હિન્દુ સમાજને જાગૃત થવાની જરૂર છે તેવી અપીલ પણ કરી હતી આટલું જ નહીં પરંતુ ગત વર્ષે યોજાયેલ નવરાત્રીના જુદાજુદા ખાનગી પ્લોટના કાર્યક્રમોમાં માતાજીની ભક્તિ અને આરાધનાની વચ્ચે "અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" અને અલી મોલા સહિતના જે ગીત ગાવામાં આવ્યા હતા તેની પણ નોંધ લઈને કહ્યું હતું કે ગત વર્ષે જે થયું હતું તેવું આ વખતે હજુ સુધી કોઈ જગ્યાએ મોરબીમાં યોજાયેલ ખાનગી પાર્ટી પ્લોટની ગરબીમાં થયેલ નથી આ પરિવર્તનની નિશાની છે અને આવતી વખતે અત્યારે જે ઘટનાઓ બની છે તેવી ઘટનાઓ પણ નહીં બને તેવો આસાવાદ વ્યક્ત કર્યો હતો






Latest News