માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીઓએ એક દિવસીય પ્રતિક ધરણા કરી પડતર માંગણીઓ દોહરાવી


SHARE

















મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીઓએ એક દિવસીય પ્રતિક ધરણા કરી પડતર માંગણીઓ દોહરાવી

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના નેજા હેઠળ તલાટીઓએ આજથી સરકાર સામે પડતર પ્રશ્ને મોરચો મંડયો છે. જેમાં આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને સવાર થી ધરણા કરી રહા છે.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭ સપ્ટેમ્બરના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની વારંવારની રજુઆતો છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં ઉપરોક્ત કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા.૭ ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં કરવાના થતાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે. જે દરમિયાન આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને તાલુકા પંચાયત ખાતે મંડપ નીચે ધરણા યોજયા હતા અને પડતર માંગણીઓ મુદદે સરકાર ધ્યાન આપે તેવી લાગણી વ્યકત કરી હતી.




Latest News