મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

પ્રેમની અભિવ્યક્તિ માટે યુવાનો નવરાત્રીની રાહ જોતા હોય છે !: બફાટ કરનાર મહિલા ગાયિકાને કાજલ હિન્દુસ્તાનીનો જડબાતોડ જવાબ


SHARE







પ્રેમની અભિવ્યક્તિ માટે યુવાનો નવરાત્રીની રાહ જોતા હોય છે !: બફાટ કરનાર મહિલા ગાયિકાને કાજલ હિન્દુસ્તાનીનો જડબાતોડ જવાબ

મોરબીમાં નવરાત્રી મહોત્સવના આયોજનમાં આવેલ કાજલ હિન્દુસ્તાની આવ્યા હતા અને તાજેતરમાં નડિયાદમાં યોજાયેલ કાર્યક્રમની અંદર એક ગાયક કલાકારે નવરાત્રિને લઈને જે નિવેદન આપ્યું છે તેને ટાંકતા કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવે છે ત્યારે સ્ટેજને શોભે તેવા જ કલાકારોને સ્ટેજ ઉપર બોલાવવા જોઈએ આવો કટાક્ષ કાજલબેન દ્વારા કરવામાં આવ્યો છે

નડિયાદમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં આવેલ ગાયક કલાકાર ઉર્વશી સોલંકી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે નવરાત્રિની પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે થઈને યુવાનો રાહ જોતા હોય છે ત્યારે તેનો જવાબ આપતા મોરબી આવેલા કાજલબેન હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે સૌપ્રથમ તો આ ઘટના જ્યારે બની ત્યારે જ નવરાત્રીના આયોજકોએ તેને રોકવાની જરૂર હતી તેમજ નવરાત્રી કે જે માતાજીની ભક્તિ અને આરાધનાનો તહેવાર છે તેમાં કેટલાક લોકોએ તેને ફેશન શો બનાવી દીધેલ છે જે યોગ્ય નથી કેમકે નવરાત્રિના પંડાલોમાં અમુક લોકો લવજેહાદના એજન્ડા સાથે જ આવતા હોય છે ત્યારે નવરાત્રીને લઇને જે કલાકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેને ટાંકતા કહ્યું હતું કે જેના પરિવારમાં કોઈએ નવરાત્રીમાં સેટિંગ પાડ્યું હોય તે જ આવું નિવેદન આપી શકે છે આવા છીછોરા જેવા નિવેદન ન આપવા જોઇએ અને ખાસ કરીને નવરાત્રિના આયોજકોએ વિચારવાની જરૂર છે કે સ્ટેજ ઉપર શોભે તેવા જ કલાકારોને નવરાત્રી મહોત્સવમાં બોલાવવા જોઈએ 






Latest News