મોરબી: વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ભવાઈ-નૃત્ય નાટિકાના કલાકારોને આમંત્રણ
SHARE
મોરબી: વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ભવાઈ-નૃત્ય નાટિકાના કલાકારોને આમંત્રણ
ગુજરાતમાં ભવાઈ, નૃત્ય-નાટિકા, કથા-કીર્તન, ડાયરાઓ, કઠપુતળીના વેશો સહિતના પરંપરાગત અને લોકમાધ્યમોની સમૃદ્ધ પરંપરા રહી છે. આ માધ્યમોની અસરકારકતા હજુ પણ ગ્રામીણ ક્ષેત્રોમાં હોઈ, આગામી બે-ત્રણ માસ દરમિયાન ખાસ કરીને "ભવાઈ" અને "નૃત્ય નાટિકા"ના માધ્યમથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, ઉજ્જ્વલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવા વિષયોને આવરી લઈને આ કલાનું મંચન થાય તો છેવાડાના લોકો સુધી લોકબોલીમાં વિકાસલક્ષી યોજનાઓના સંદેશાઓ અસરકારક ઢબે પહોંચાડી શકાય તેમ છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ‘ભવાઈ’ અને ‘નૃત્ય નાટિકા’ નું મોરબી જિલ્લાના ગ્રામીણ સ્તરે અમલીકરણ થાય તે માટે બંન્ને માધ્યમો સાથે સંલગ્ન ક્લા જૂથો પાસેથી ઉકત ચાર વિષયોની ૨૫-૩૦ મિનિટના સમયગાળાની ભવાઈ અને નૃત્ય નાટિકા માટેની પટકથા (SCRIPT) તૈયાર કરાવવાની રહેશે. આ બંને માધ્યમો માટેની પટકથા ૭ દિવસમાં તૈયાર કરી જિલ્લા માહિતી કચેરી બ્લોક નં.૨૨૫-૨૨૮ જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ મો. ૮૭૫૮૩૧૧૬૭૩, ૯૮૨૪૮૨૬૩૬૩ પર સંપર્ક કરવાનો રહેશે.









