વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે મહારેલી- શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે મહારેલી- શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે મોરબીમાં પરંપરાગત રેલીનું આયોજન કરે છે અને બાદમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો છે જેમા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા છે આવી જ રીતે આ વર્ષે પણ શાસ્ત્ર પૂજન  અને રેલી યોજાઇ હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે રેલીમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાયા હતા અને આ રેલીમાં ઘોડા પણ રાખવામાં આવ્યા હતા અને મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે આ રેલીને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા બહાર ગામ ધાર્મિક પ્રસંગમાં હોવાથી સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની આગેવાનીમાં આ મહારેલી અને શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રાજપૂત કરણી સેના અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આગેવાનો, હોદેદારો સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા  






Latest News