મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ
મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે મહારેલી- શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે મહારેલી- શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે મોરબીમાં પરંપરાગત રેલીનું આયોજન કરે છે અને બાદમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો છે જેમા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા છે આવી જ રીતે આ વર્ષે પણ શાસ્ત્ર પૂજન અને રેલી યોજાઇ હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે રેલીમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાયા હતા અને આ રેલીમાં ઘોડા પણ રાખવામાં આવ્યા હતા અને મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે આ રેલીને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા બહાર ગામ ધાર્મિક પ્રસંગમાં હોવાથી સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની આગેવાનીમાં આ મહારેલી અને શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રાજપૂત કરણી સેના અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આગેવાનો, હોદેદારો સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા









