મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કામ દરમિયાન પડી જતા યુવાનનું મોત


SHARE















વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કામ દરમિયાન પડી જતા યુવાનનું મોત

 વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર વિટ્રીફાઈડ નામના કારખાનામાં યુવાન કામ કરી રહ્યો હતો દરમિયાન તે નીચે પડી જતા તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

 બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવે કમાન્ડર વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રાયસંગ લખનશા હાસડા (૩૭) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો ત્યારે પડી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયાએ કરી હતી અને બાદમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 મારામારીમાં ઇજા

મોરબીની ત્રાજપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વિસ્તારમાં રહેતા સાહિલ ઈકબાલ પઠાણ (૨૪) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી પાસે લેન્ડફોર સિરામિકમાં રહેતા શારદાબેન અનિલભાઈ મેડા (૧૮) નામની યુવતીને મારામારીના બનાવવામાં આવી જાતી હતી જેથી કરીને સારવાર માટે જેતપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News