મોરબીના દાદાશ્રીનગર ગામે ઘરમાંથી ૩૫ ગામ સોનાના દાગીના-રોકડ સહિત ૨.૨૨ લાખના મુદામાલની ચોરી
મોરબીના રાજપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના રાજપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતો યુવાન શનિવારે તેના પરિવારજનો સાથે મેઘપર ઝાલા ગામેથી મોરબીના સનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે શરદ પૂનમના દિવસે હવન અને સભામાં આવી રહ્યા હતા ત્યારે રાજપર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા હરદેવસિંહ દિલુભ ઝાલા (૪૪) નામનો યુવાન પગપાળા ચાલીને શનિવારે શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે હવનમાં આવી રહ્યા હતા ત્યારે રાજપર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરા યોગીરાજસિંહ હરદેવસિંહ ઝાલા જાતે દરબાર (૧૯)ની ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં ફરિયાદીના કહેવા મુજબ તે પોતાના માતા-પિતા અને ત્રણ બહેનો સહિતના લોકો મેઘપર ઝાલા ગામથી શરદ પૂનમના દિવસે શક્તિ માતાજીના મંદિરે હવન હોય છે ત્યાં આવવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં સર્જાયેલા અકસ્માતમાં ફરિયાદીના પિતા હરદેવસિંહ ઝાલાનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે









