મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનના પ્લોટને વેચવા બાબતે મારામારી: સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનના પ્લોટને વેચવા બાબતે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનનો પ્લોટ વેચવા બાબતે ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ માથાકૂટ, ઝઘડો અને મારામારી થઈ હતી જેમાં બંને પક્ષીથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક રાતીદેવરી ગામે રહેતા ગોરધનભાઈ સામાભાઈ વોરા જાતે અનુ. જાતિ (૮૦)એ હાલમાં હરેશભાઈ પરસોત્તમભાઈ વોરા, વિજય પરસોત્તમભાઈ વોરા અને પરસોતમભાઈ સામાભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી હરેશભાઈએ તેને કહ્યું હતું કે અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ અમારે વેચી નાખવો છે તમે કેમ વેચવા નથી દેતા તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે વૃદ્ધને જમણા હાથે અને ડાબા પગે માર મારીને ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ વિજયભાઈએ હાથમાં રહેલ ધારીયા વડે વૃદ્ધને વાંસા અને છાતીના ભાગે માર મારીને ઇજા કરેલ છે તેમજ પરસોતમભાઈએ તેના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદી વૃદ્ધને માથામાં માર મારીને ઈજા કરી હતી જેથી કરીને વૃદ્ધે સારવાર દીધા બાદ હાલમાં ત્રણેય વ્યક્તિઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

તો સામાપક્ષેથી આ બનાવમાં પરસોતમભાઈ સામાભાઈ વોરા (૬૯)એ હાલમાં પ્રેમજીભાઈ દેહાભાઇ વોરા, રમેશભાઈ ગોરધનભાઈ વોરા, ગોરધનભાઈ સામાભાઈ વોરા અને મનહરભાઈ દેહાભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ  છે કે, પ્રેમજીભાઈ વોરાએ કહ્યું હતું કે અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ તમારે વેચી નાખવો છે તે અમે વેચવા નહીં દઈએ તેમ કહીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતા રમેશભાઈએ તેના હાથમાં રહેલ લાકડી ફરિયાદીને જમણા પગમાં મારીને માર માર્યો હતો તેમજ હરેશભાઈને લાકડી વડે ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો અને ગોરધનભાઈ તથા મનહરભાઈએ શરીરે મુંઢ માર મારીને ઇજા કરી હતી જેથી મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News