માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ કાલે ગાંધી આશ્રમ ખાતે યોજાશે શ્રદ્ધાંજલિ સભા: ટ્રેજેડી વિકટીમ એસો.


SHARE













મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ કાલે ગાંધી આશ્રમ ખાતે યોજાશે શ્રદ્ધાંજલિ સભા: ટ્રેજેડી વિકટીમ એસો.

મોરબીની જુલતા પુલ દુર્ઘટનાને કાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો દ્વારા કાલે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીથી ૨૦૦ થી વધુ લોકો હાજર રહેશે તેવું હાલમાં ટ્રેજેડી વિકટીમ એસો.ના હોદ્દેદાર પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે જુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સિટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવેલ છે તેવામાં આવતી કાલે તા ૩૦/૧૦ ના રોજ આ ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહયું છે ત્યારે ટ્રેજેડી વિકટીમ એસોસિયેશ દ્વારા જુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનો દ્વારા ઉપવાસ રાખીને શ્રદ્ધાંજલિ યાત્રાનું અમદાવાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, કાલે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી રેલીની મંજૂરી મળી નથી જેથી કાલે આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે કાલે સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાશે જેમાં મોરબીથી ૨૦૦ થી વધુ લોકો જોડાશે તેવું હલમ ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબીના હોદ્દેદારો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News