મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટાવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તામાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યસન છોડે તેની અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે કરશે સારવાર: કોમનમેન ફાઉન્ડેશન


SHARE













મોરબીમાં વ્યસન છોડે તેની અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે કરશે સારવાર: કોમનમેન ફાઉન્ડેશન

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન પ્રથમ ચરણની વિશેષ મીટીંગનું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું  અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે હાલમાં મોરબી અને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રે તમાકુ અને પાન-માવાના વ્યસનને લીધે મોઢા અને જડબા તેમજ અન્ય કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સામાજીક ચેતનાના ભાગરૂપે મોરબીના અગ્રણી તબીબોની ટીમના સહયોગથી  વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તમાકુના વ્યસનની દુરોગામી અસરો અને તમાકુના વ્યસન છોડવાના ઉપાયો વિષે મોરબીના અગ્રણી તબીબોની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ  આ અભિયાનમા વ્યસનમુકિતના સોગંદ લેવડાવવામા આવ્યા હતા. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈને તમાકુના વ્યસનમાંથી મુક્ત બને તેવો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે. આ અભિયાનની વિશેષતા એ છે કે, આ અભિયાનમાં જોડાઈને જેઓ તમાકુનું વ્યસન છોડશે તેઓને કોઈ શારીરિક કે માનસિક તકલીફ થશે તો મોરબીના અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે તેમની સારવાર કરશે અને સારવારનો જો કોઈ ખર્ચ થશે તો તે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ ડો. સતીશ પટેલની યાદીમાં જણાવાયું છે આ અભિયાનમાં જોડાવા માટે ડૉ. સતીશ પટેલ, ડૉ. રવિન્દ્ર ભટ્ટ અને ધરતીબેન બરાસરાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News