મોરબીમાં વ્યસન છોડે તેની અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે કરશે સારવાર: કોમનમેન ફાઉન્ડેશન
મોરબીમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર
SHARE
મોરબીમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર
મોરબી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમા અપહરણ તથા દુષ્કર્મની ફરીયાદના પોકસો કેશનાં આરોપી અરવિંદ ઠાકરશીભાઈ કોળીનાં જામીન મંજુ૨ કરાયા હતા.
મોરબી તાલુકા પો.સ્ટે.મા તા.૭-૭-૨૦૧૪ ના રોજ આ કામના આરોપી અરવિંદ ઠાકરશીભાઈ કોળી વિરુધ્ધ આઈ.પી.સી.ની ક્લમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), એચ.આઈ.એમ. તથા પોકસો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૩(એ) ૪ અન્વયે.ગુન્હો રજીસ્ટ્રર થયેલ ત્યારબાદ આરોપી નાસતો ફરતો હોય આથી વોરંટના કામે આ અંગે એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આરોપીવતી મોરબી જીલ્લાના એડવોકેટ નીતીનકુમાર અમૃતલાલ પંડ્યા એ જામીન અરજી કરેલ અને તેમા ધારદાર દલીલ કરેલ તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ તે ધ્યાને લઈ નામદાર કોર્ટએ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ નિતીનકુમાર પંડયા રોકાયા હતા.









